Wednesday, August 7, 2019

પાલક માતા-પિતાની યોજના

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.
પાલક માતા-પિતાની યોજના
બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી, આથી વિકલ્પે ઉછેર તેમનો બાળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે. સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગણી શકાય. આથી આવાં નિરાધાર અનાથ બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાની જગ્યાએ તેઓને વૈકલ્પિક કુટુંબમાં રાખી પ્રાકુતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ થઇ શકે તે દ્રષ્ટીએ પાલક માતા-પિતાની યોજનાનો સરકારશ્રીએ ૧૯૭૮થી અમલ શરૂ કરેલ છે.
યોજનાનુ નામઃ- પાલક માતા-પિતાની યોજના
પાત્રતાનુ ધોરણ‌:- આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન: લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
સહાયનો દરઃ- અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય પેટે ચુકવવામાં આવશે.
આવક મર્યાદાઃ- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે
યોજનાની શરતો
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ લાભાર્થી ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં મુકવાના રહેશે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે. જો બાળકનો અભ્યાસ બંધ કરાવવામાં આવશે તો સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
  • આંગણવાડીમાં જતાં બાળકો માટે આઈસીડીએસના (સંકલિત બાળ વિકાસ યોજના) સંબંધિત પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર તથા શાળાએ જતાં બાળકો માટે સંબધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર દર વર્ષે ૧૫મી જુલાઈ સુધીમાં રજૂ કરવાનું રહેશે.
  • બાળકના માતા-પિતાના મરણની પ્રમાણિત દાખલા રજુ કરવાના રહેશે.
  • જો બાળકની માતાએ પુન:લગ્ન કરેલ હોય અને બાળક માતા સાથે રહેવા જાય તેવા સંજોગોમાં સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
  • અરજીનો નમુનો ખાતાની વેબસાઇટ https://sje.gujarat.gov.in/dsd પરથી ડાઉનલોડ કરી અથવા નજીકના ચિલ્ડ્રનહોમ/ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી/જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળી રહેશે. અરજી મંજુર થયે સહાય અરજી કર્યાના માસથી મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનું અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડ્રન હોમના અધિક્ષકે કરવાનું રહે છે. જે જીલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી તેવા જીલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી જિલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે. અને ચુકવણાની જવાબદારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે.
  • દરેક જિલ્લા સ્તરે સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા ભલામણોની સમીક્ષા કરી પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે આદેશ કરવાના રહેશે.
  • જે બાળકો આવા જ પ્રકારની રાજયની કે કેન્દ્રની અન્ય કોઈ યોજનાઓનો લાભ મેળવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • આ રકમ લાભાર્થીના ખાતામાં સીધી ચુકવણા (DBT) પધ્ધતિથી એકાઉન્ટ પેઇ ચેકથી ચુકવવાની રહેશે. આવા પાલક માતા-પિતા કે મંજૂરી પ્રાપ્ત નજીકનાં સગાં એટલે કે લાભકર્તાએ બેન્ક/પોસ્ટ ઓફિસમાં બાળકના નામ સાથેનું પોતના સંયુક્ત નામનું ખાતું ખોલાવવાનું રહેશે.
  • અધુરી વિગતો વાળુ અરજીપત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહી.
    પાલક માતા-પિતાની યોજના વિશે વધુ જાણવા અહીં CLICK કરો.

    Share:

    Pages

    Facebook

    Powered by Blogger.

    Videos

    Post Bottom Ad

    Responsive Ads Here

    Post Top Ad

    Responsive Ads Here

    Home Top Ad

    Responsive Ads Here

    Blogger templates

    Blogroll

    About

    [blogger][disqus][facebook]

    Total Pageviews

    Search This Blog

    Blog Archive

    Search This Blog

    Find Us On Facebook

    Share Us

    Breaking

    Video Of Day

    Contact Form

    Name

    Email *

    Message *

    Followers

    Tags

    Recent Comments

    Ads

    Educare4Knowledge

    Recent

    Subscribe Us

    Popular Posts

    Recent Posts

    Responsive Ads Here

    Theme Support