Showing posts with label સમાજ ઉપયોગી. Show all posts
Showing posts with label સમાજ ઉપયોગી. Show all posts

Sunday, June 7, 2020

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના)

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) ની માહિતી માટે અહીં CLICK કરો.

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS
 
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.
આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે.
  1. અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  2. અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબ રેખા હેઠળ B.P.L યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોર સમાવિષ્ટ હોવો જોઈએ. શહેરી વિસ્તારના અરજદારોમાટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ & પ્રોપટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L સમાવિષ્ટ હોવો જોઈએ.
  3. પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.
સહાયની રકમ
  • સહાયની રકમ લાભાર્થીની ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્‍ધોને માસિક સહાય રૂ.૭૫૦/- (રાજય સરકારના રૂ.૩૦૦/- + કેન્‍દ્ર સરકારના ના રુ.ર૦૦/-) તેમજ ૮૦ કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક સહાય રૂ.૧૦૦૦/- (રાજય સરકારના રૂ.પ૦૦/- + કેન્‍દ્ર સરકારના રૂ.પ૦૦/-)
 
અપીલ અરજી અંગે
  • નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
 
સહાય ક્યારે બંધ થાય ?
  • લાભાર્થી બી.પી.એલ
  • લાભાર્થીઓનું અવસાન થવાથી
 
અરજી ફોર્મ ક્યાથી મળશે ?
  • વિના મૂલ્યે નીચેની કચેરીમાથી મળશે.
    • કલેક્ટર કચેરી
    • મામલતદાર કચેરી
    • જનસેવા કેન્દ્ર
 
Share:

Saturday, June 6, 2020

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના વધુ જાણવા અહીં CLICK કરો.

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.
નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
લાભ કોને મળી શકે ?
  • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
  • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
  • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  • જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
  • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
લાભ શુ મળે ?
  • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૭૫૦/-
  • લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા જમા કરાવવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?
  • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?
  • અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
સહાય ક્યારે બંધ થાય.
  • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
  • વાર્ષિક આવક વધુ થતાં.
  • લાભાર્થી નું આવસાન થતાં
અપીલની જોગવાઈ
  • અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે
Share:

Saturday, May 23, 2020

કુટુંબ સહાય માટે સંકટ મોચન યોજના

  • સરકાર દ્વારા ૨૦,૦૦૦ રૂપિયાની સહાય કોને મળવા પાત્ર છે?
  • ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડશે ?
  • અરજી ક્યાં કરવી ?
  • ફોર્મ ક્યાંથી મળશે ?
ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.

સંપૂર્ણ માહિતી માટે અહીં  CLICK કરો.
Share:

Thursday, May 7, 2020

વ્હાલી દિકરી યોજનાની સંપૂર્ણ માહિતી અને ફોર્મ વિશે જાણો અને લાભ લો.


વ્હાલી દિકરી યોજના ના નિયમો નો વિગતવાર પરિપત્ર અને ફોર્મ બહાર પડી ગયેલ છે.
દિકરી ધો.1 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 4000 નો પ્રથમ હપ્તો
દિકરી ધો.9 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 6000 નો બીજો હપ્તો
દિકરી 18 વર્ષની થશે ત્યારે રૂ. 1 લાખ મળશે.
કયા ફોર્મ ભરીને આપવુ ?
કોને લાભ મળશે ?
કયા ડોક્યુમેન્ટ જોડવાના છે ?




Share:

Monday, May 4, 2020

તમારું આધારકાર્ડ કઈ જગ્યાએ કોણે કોણે વપરાયું છે તે જાણો.આધારકાર્ડની OFFICIAL વેબસાઈટ પરથી.

તમારું આધારકાર્ડ કઈ જગ્યાએ વપરાયું છે તે જાણવા અહીં ક્લિક કરો.

 આધાર પ્રમાણીકરણ ઇતિહાસ કેવી રીતે તપાસો તે તેના માટે સરળ પગલાં છે

ઓનલાઇન આધાર  ઇતિહાસ કેવી રીતે તપાસો તે નીચે આપેલ સરળ પગલાં છે.

પગલું 1: યુઆઈડીએઆઈની OFFICIAL વેબસાઇટની મુલાકાત લો જેની લિન્ક નીચે આપેલ છે.

 https: //resident.uidai.gov.in/


પગલું 2: એકવાર તમે યુઆઈડીએઆઈના હોમ પેજ પર આવ્યા પછી, આધાર સેવાઓ કલમ હેઠળ "“Aadhar Authentication History”" લિંક પસંદ કરો.

પગલું 3: પછી તે “Aadhar Authentication History” નામના નવા પૃષ્ઠ પર નિર્દેશિત થાય છે. તમારે યુઆઈડી / 12-અંકનો આધાર નંબર દાખલ કરવો જોઈએ.


પગલું 4: સંબંધિત  સુરક્ષા કોડને યોગ્ય રીતે દાખલ કરો અને "જનરેટ ઓટીપી" પર ક્લિક કરો.

પગલું 5: "આધાર સૂચન સેટિંગ" શીર્ષકવાળા નવા પૃષ્ઠ પર, ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરીને "પ્રમાણીકરણ પ્રકાર" પસંદ કરો.

પગલું 6: તમારે કેલેન્ડરમાંથી પ્રારંભ અને અંતની તારીખ પસંદ કરવી જોઈએ કે જેના માટે તમે ઇતિહાસને તપાસવા માંગો છો.

પગલું 7: આગળ, સંબંધિત  રેકોર્ડ્સની સંખ્યા અને ઓટીપી દાખલ કરો અને "સબમિટ કરો" બટન પર ક્લિક કરો.

પગલું 8: આ પૂર્ણ કર્યા પછી, યુઆઈડીએઆઈ ઇતિહાસને ટેબ્યુલર ફોર્મેટમાં પ્રદર્શિત કરે છે જેમાં અન્ય લોકોમાં તારીખ, સમય, પ્રકાર આઈડી અને પ્રમાણીકરણનો પ્રકાર શામેલ છે.


પગલું 9: તમે હવે માહિતીની પ્રમાણીકરણને ક્રોસ-ચેક કરી શકો છો.

“Aadhar Authentication History” Check ઓન લાઇન તપાસવા માટે દસ્તાવેજો આવશ્યક છે
સત્તાધિકરણ ચકાસવા માટે ફક્ત બે પૂર્વજરૂરીયાતો છે. તે પણ સમાવેશ થાય:

1.વન-ટાઇમ પાસવર્ડ મેળવવા માટે 12-અંકનો આધાર નંબર
2.આધાર રજિસ્ટર મોબાઇલ નંબર


Share:

આધાર કાર્ડમાં ઘરબેઠા બદલો નામ સરનામું સરળ રીતે.

આધાર કાર્ડમાં હવે એક જ વખત જન્મ તારીખમાં સુધારો કરી શકાશે






The Aadhaar card can now be modified from one birth date only

UIDAI એ આધાર કાર્ડમાં નામ, જેન્ડર અને જન્મ તારીખમાં ફેરફાર કરવા પર મર્યાદા બાંધી દીધી
  • જેન્ડર અને ડેટ ઓફ બર્થમાં એક જ વખત ફેરફાર કરાવી શકાશે
  • આખા જીવનકાળ દરમિયાન માત્ર બે વાર નામ બદલવાની મંજૂરી આપવામાં આવશે


યુટિલિટી ડેસ્ક. યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટિ ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડમાં નામ, જેન્ડર અને જન્મ તારીખમાં ફેરફાર કરવા પર મર્યાદા બાંધી દીધી છે. હવે કોઈ પણ આધાર કાર્ડ હોલ્ડર માત્ર બે વખત જ નામ બદલાવી શકશે. જેન્ડર અને ડેટ ઓફ બર્થમાં એક જ વખત ફેરફાર કરાવી શકાશે. UIDAIના જણાવ્યા મુજબ, આખા જીવનકાળ દરમિયાન માત્ર બે વાર નામ બદલવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે જેન્ડરમાં માત્ર એક જ વખત ફેરફાર કરવામાં આવશે. જન્મ તારીખમાં ફેરફાર કરવા માટે દસ્તાવેજી પુરાવા સાચા હોવા જરૂરી છે.
જૂની શરતોમાં કોઈ ફેરફાર નથી
UIDAIના જણાવ્યા મુજબ, બીજા તમામ અપડેટની અગાઉની શરતો યથાવત રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. આ આદેશ UIDAIના સીઈઓની મંજૂરી બાદ જાહેર કરવામાં આવ્યો છે.
આ રીતે અપડેટ કરવું એડ્રેસ
જો તમે શહેર બદલી રહ્યા હો અથવા ઘર બદલી રહ્યા હો તો તમારા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. તેના માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવાનું રહેશે.
કેટલો ચાર્જ લાગશે
આધાર કેન્દ્ર પર જ્યારે તમે આધાર અપડેટ કરાવવા જાઓ છો તો ધ્યાન રાખવાનું રહેશે કે, તમારે ડેમોગ્રાફિક ફેરફાર માટે 50 રૂ.+GST ચાર્જ તરીકે આપવાના રહેશે. તે ઉપરાંત તમારે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય તો 50+GST ચાર્જ ચૂકવવો પડશે.
e-KYC
આધાર સર્ચ માટે (ઈ-કેવાયસી, કલર પ્રિંટ આઉટ વગેરે) 30રૂપિયા+GST ચાર્જ તરીકે ચૂકવવા પડશે. નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. તે ઉપરાંત જે બાયોમેટ્રિક્સની જરૂર પડશે તે પણ મફતમાં અપડેટ થશે.

Share:

Wednesday, August 7, 2019

પાલક માતા-પિતાની યોજના

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં CLICK કરો.
પાલક માતા-પિતાની યોજના
બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી, આથી વિકલ્પે ઉછેર તેમનો બાળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે. સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગણી શકાય. આથી આવાં નિરાધાર અનાથ બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાની જગ્યાએ તેઓને વૈકલ્પિક કુટુંબમાં રાખી પ્રાકુતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ થઇ શકે તે દ્રષ્ટીએ પાલક માતા-પિતાની યોજનાનો સરકારશ્રીએ ૧૯૭૮થી અમલ શરૂ કરેલ છે.
યોજનાનુ નામઃ- પાલક માતા-પિતાની યોજના
પાત્રતાનુ ધોરણ‌:- આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન: લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
સહાયનો દરઃ- અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સહાય પેટે ચુકવવામાં આવશે.
આવક મર્યાદાઃ- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે
યોજનાની શરતો
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ લાભાર્થી ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં મુકવાના રહેશે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે. જો બાળકનો અભ્યાસ બંધ કરાવવામાં આવશે તો સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
  • આંગણવાડીમાં જતાં બાળકો માટે આઈસીડીએસના (સંકલિત બાળ વિકાસ યોજના) સંબંધિત પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર તથા શાળાએ જતાં બાળકો માટે સંબધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર દર વર્ષે ૧૫મી જુલાઈ સુધીમાં રજૂ કરવાનું રહેશે.
  • બાળકના માતા-પિતાના મરણની પ્રમાણિત દાખલા રજુ કરવાના રહેશે.
  • જો બાળકની માતાએ પુન:લગ્ન કરેલ હોય અને બાળક માતા સાથે રહેવા જાય તેવા સંજોગોમાં સહાય આપવાનું બંધ કરવામાં આવશે.
  • અરજીનો નમુનો ખાતાની વેબસાઇટ https://sje.gujarat.gov.in/dsd પરથી ડાઉનલોડ કરી અથવા નજીકના ચિલ્ડ્રનહોમ/ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી/જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળી રહેશે. અરજી મંજુર થયે સહાય અરજી કર્યાના માસથી મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનું અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડ્રન હોમના અધિક્ષકે કરવાનું રહે છે. જે જીલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી તેવા જીલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી જિલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે. અને ચુકવણાની જવાબદારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે.
  • દરેક જિલ્લા સ્તરે સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા ભલામણોની સમીક્ષા કરી પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે આદેશ કરવાના રહેશે.
  • જે બાળકો આવા જ પ્રકારની રાજયની કે કેન્દ્રની અન્ય કોઈ યોજનાઓનો લાભ મેળવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • આ રકમ લાભાર્થીના ખાતામાં સીધી ચુકવણા (DBT) પધ્ધતિથી એકાઉન્ટ પેઇ ચેકથી ચુકવવાની રહેશે. આવા પાલક માતા-પિતા કે મંજૂરી પ્રાપ્ત નજીકનાં સગાં એટલે કે લાભકર્તાએ બેન્ક/પોસ્ટ ઓફિસમાં બાળકના નામ સાથેનું પોતના સંયુક્ત નામનું ખાતું ખોલાવવાનું રહેશે.
  • અધુરી વિગતો વાળુ અરજીપત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહી.
    પાલક માતા-પિતાની યોજના વિશે વધુ જાણવા અહીં CLICK કરો.

    Share:

    Pages

    Facebook

    Powered by Blogger.

    Videos

    Post Bottom Ad

    Responsive Ads Here

    Post Top Ad

    Responsive Ads Here

    Home Top Ad

    Responsive Ads Here

    Blogger templates

    Blogroll

    About

    [blogger][disqus][facebook]

    Total Pageviews

    Search This Blog

    Blog Archive

    Search This Blog

    Find Us On Facebook

    Share Us

    Breaking

    Video Of Day

    Contact Form

    Name

    Email *

    Message *

    Followers

    Tags

    Recent Comments

    Ads

    Educare4Knowledge

    Recent

    Subscribe Us

    Popular Posts

    Blog Archive

    Recent Posts

    Responsive Ads Here

    Theme Support